લોકસભા ચૂંટણી હાર્યા બાદ માયાવતીની હૈયાવરણ, SP માટે આપ્યું ચોંકાવનારૂ નિવેદન

લોકસભા ચૂંટણી 2019 માં કારમી હાર બાદ ગઠબંધનમાં ભારે ખેંચમતાણ જોવા મળી રહી છે. બસપા અધ્યક્ષ માયાવતીએ કહ્યું કે, બદાયૂં, કન્નોજ અને ફિરોજાબાદ બેઠક પર સપા ઉમેદવારોની હાર વિચારવા પર મજબૂર કરે છે. ચૂંટણી પરિણામોમાં ઇવીએમની ભૂમિકા ખરાબ રહી છે. સપા બસપાના મત એક થતાં હારવું શક્ય નથી લાગતું.

લોકસભા ચૂંટણી હાર્યા બાદ માયાવતીની હૈયાવરણ, SP માટે આપ્યું ચોંકાવનારૂ નિવેદન

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં બહુજન સમાજ પાર્ટી અને સમાજવાદી પાર્ટીનું ગઠબંધન સફળ ન થયા બાદ માયાવતીએ એકલા હાથે પેટા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. મંગળવારે પત્રકારો સાથે વાત કરતાં માયાવતીએ કહ્યું કે, સમાજવાગી પાર્ટીમાં હજુ ઘણો સુધાર કરવાની જરૂર છે. લોકસભા ચૂંટણીમાં સપાના મત બસપા અને સપા બંનેને મળ્યા નથી. એટલે લોકસભા ચૂંટણીમાં એવા પરિણામ મળ્યા કે જેનાથી બેઠક બચાવવામાં સફળતા મળી નથી. માયાવતીએ અખિલેશ યાદવને કહ્યું કે, તે રાજનીતિક કાર્યોની સાથોસાથ પોતાના કાર્યકરોને બસપાની જેમ એક મિશનરી મોડ પર એકજૂથ કરવામાં સફળ થાય છે તો આગામી સમયમાં અમે એમની સાથે રહી શકીએ છીએ. 

માયાવતીએ પોતાની પ્રેસ કોન્ફરન્સની શરૂઆતમાં કહ્યું કે, અખિલેશ યાદવે એમનું ઘણું સન્માન કર્યું છે. માયાવતીએ કહ્યું કે, અખિલેશ યાદવના સમગ્ર પરિવારનું પણ અમે ઘણું સન્માન કરીએ છીએ. સપા બસપાના સંબંધો રાજકીય સ્વાર્થ માટે નથી. અમારા એમની સાથેના સંબંધ લાંબા સમય સુધી ટકી રહેશે. 

બસપા સુપ્રીમો માયાવતીએ કહ્યું કે, પરંતુ રાજકીય વિવશતાને નજરઅંદાજ ન કરી શકાય. સપાના કાયમી કહેવાતા મત પણ એમને નથી મળ્યા. સમાજવાદી પાર્ટી સાથે યાદવ સમાજ પણ હવે નથી રહ્યો, યાદવ પ્રભુત્વવાળી બેઠકો પર પણ સપાના મજબૂત ઉમેદવાર પણ હાર્યા છે. બદાયૂં, કન્નૌજ અને ફિરોજાબાદ બેઠક પર સપાના ઉમેદવારોની હાર એ ઘણું બધુ વિચારવા માટે મજબૂર કરે છે. 

માયાવતીએ કહ્યું કે, આવી સ્થિતિમાં એવું તારણ કાઢી શકાય એમ છે કે, સપાના કાયમી કહેવાતા મત પણ સપાને નથી મળ્યા તો બસપાને કેવી રીતે મળે. ચૂંટણી પરિણામમાં ઇવીએમની ભૂમિકા ઘણી ખરાબ રહી છે. જો સપા પોતાના કાયમી મત પોતાને નામ કરતું તો આ સ્થિતિ ન આવત.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news